હનુમાનજી કળિયુગના મુખ્ય દેવતા છે અને અમર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતાએ હનુમાનજીને અમર થવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપાથી બધા જ પ્રકારની પરેશાનીઓથી છુટકારો મળી જાય છે. નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનાં પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી હનુમાનજીના એક એવા મંત્ર વિશે જણાવીશું, જેને “હનુમાન જંજીરા” નાં નામથી ઓળખવામાં આવે છે. આ મંત્ર ખુબ જ પ્રભાવશાળી મંત્ર છે. દરરોજ હનુમાન ચાલીસા ને સાથે આ મંત્રનો જપ પણ કરવો જોઈએ.
હનુમાનજીને હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા અને સંકટ મોચન જણાવવામાં આવેલ છે. શ્રી રામભક્ત હનુમાનજીની મહિમા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રચલિત છે. સામાન્ય રીતે તો હનુમાનજીનું નામ લેવાથી જ ડર અને ભયનું નિવારણ થઈ જાય છે, પરંતુ વધારે પરેશાનીઓ આવવા પર હનુમાન ચાલીસા સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.
આસ્થાનાં આ ભગવાનને પવનપુત્ર અને રામભક્ત જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હનુમાન ચાલીસા સિવાય ભગવાન હનુમાનજીની આરાધના કરવા માટે હનુમાન બાણ અને હનુમાનજીની આરતી પણ છે. પરંતુ એક મંત્ર એવો છે જે ડર અને ભય અને માત્ર એક માળા નાં જાપથી જ છુમંતર કરી નાખે છે. હનુમાન જંજીરા નામનો આ મંત્ર ખુબ જ સરળ અને ખુબ જ કારગર છે.
મંત્ર (હનુમાન જંજીરા)
ॐ हनुमान पहलवान पहलवान, बरस बारह का जबान,
हाथ में लड्डू मुख में पान, खेल खेल गढ़ लंका के चौगान,
अंजनी का पूत, राम का दूत, छिन में कीलौ
नौ खंड का भूत, जाग जाग हड़मान
हुँकाला, ताती लोहा लंकाला, शीश जटा
डग डेरू उमर गाजे, वज्र की कोठड़ी ब्रज का ताला
आगे अर्जुन पीछे भीम, चोर नार चंपे
ने सींण, अजरा झरे भरया भरे, ई घट पिंड
की रक्षा राजा रामचंद्र जी लक्ष्मण कुँवर हड़मान करें।
આ મંત્રની દરરોજ એક માળા જાપ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે અને મંદિરમાં જઈને વ્યક્તિ અગરબત્તી પ્રગટાવી ૨૧માં દિવસે તે મંદિરમાં એક શ્રીફળ તથા લાલ કપડા ની ધ્વજા ચઢાવો. તમારે જાપની વચ્ચે અલૌકિક ચમત્કારોનો અનુભવ થાય તો ગભરાવવું જોઈએ નહીં. આ મંત્ર ભુત-પ્રેત, ખરાબ નજર, શરીરની રક્ષા તથા સુખ સંપત્તિ માટે અત્યંત સફળ માનવામાં આવે છે.
આ મંત્રનો જાપ કરીને વ્યક્તિના જીવનમાં રહેલી દરેક પરેશાનીમાં થી છુટકારો મળી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી અઢળક સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. સાથોસાથ જીવનમાં રહેલા તમામ દુઃખ દર્દ ખતમ થઇ જાય છે. જો તમે નિયમિત રીતે આ મંત્રનો જાપ કરો છો તો ક્યારે પણ મુશ્કેલીઓ તમારા જીવનમાં આવશે જ નહીં.